• પું.
    • જિજ્ઞાસાથી ભરેલો સવાલ, વારંવાર કરવામાં આવતો તે તે સવાલ, ફરી ફરીને પૂછવું તે
      • ઉદાહરણ:
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૧૬:
        तद् विद्धि प्राणिपातेन परिप्रश्नेन सेवया ।
        उपदेश्यति ते ज्ञानं ज्ञानिनः तत्त्वदर्शिनः ।।
        ઉપલા ભગવદ્ વાક્યમાં કહ્યા પ્રમાણે પ્રણિપાત, પરિપ્રશ્ન અને સેવાપૂર્વક જે જીજ્ઞાસુજનો એવા મુક્તાત્માઓનો સત્સંગ સેવે છે; તેઓ કુદરતી રીતેજ ( નદી-નવાણની પાસે જઈ નીચા નમી પાણી પીનારની તૃષા ટળે છે તેમ ) તેમના અદ્ભુત જ્ઞાન, ચારિત્રનો લાભ મેળવી શકીને પરિણામે–દીવે દીવા પ્રગટે તેમ-સ્વાત્મજ્યોતિને પ્રકટાવી કૃતકૃત્ય બની રહે છે.